પાલનપુર અંબિકાનગર જૈન દેરાસર પાછળ રહેતો યુવક શુક્રવારે વહેલી સવારે અમદાવાદથી પાલનપુર પરત આવી રહ્યો હતો. ત્યારે અડાલજ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં તેણે ગંભીર ઇજા થતાં મોત થયું હતુ
પાલનપુર ગુરુનાનક ચોક માં અખબારનું વિતરણ કરતાં રાકેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે, પાલનપુરમાં જૈન દેરાસર પાછળ અંબિકાનગરમાં રહેતો અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો કરન રાજેશભાઈ શર્મા શુક્રવારે વહેલી સવારે અમદાવાદથી પોતાની કાર લઈને
પાલનપુર આવી રહ્યા હતા. ત્યારે અડાલજ નજીક કાબુ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કરણને ગંભીર ઇજા થઈ હતી. જેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં મોત થયું હતુ. ઉલ્લેખનીય છે કે, કરણ પરિવારમાં એકનો એક પુત્ર હતો. તે પાંચ માસનો હતો ત્યારે તેના પિતાનું પણ નિધન થયું હતુ. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
આ પણ વાંચો:પુત્રનું મૌત થતાં પિતાએ ખભે ઉચક્યો મૃતદેહ ! જોઈને બધા લોકો થઈ ગયા હેરાન…જાણો આખી ઘટના…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો