ગુજરાતમાં ચૂંટણી પંચે મતદારયાદી સુધારણા અંતર્ગત શિક્ષકોને SIRનું કામ આપ્યા બાદ હાલત કફોડી થઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી 4 BLO ના મોત થઈ ગયા છે. ત્યારે હવે વધુ એક BLO નું શંકાસ્પદ સંજોગો મોત થયું છે. સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી દિનકલબેન શીંગોડાવાળા(Dinkalben Shingodawala) ઘરના બાથરુમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.
હોસ્પિટલમાં ખસેડતાં ડોક્ટરે મૃત ઘોષિત કરી કર્યા હતા.સુરત(Surat)માં એક મહિલા BLO નું મોત થતાં ખળભળાટ મચ્યો છે. સુરત મનપામાં કામ કરતા દિનકલબેન શીંગોડાવાળાનું મોત થયું છે. તેઓ વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ આજે ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવ્ચા હતા. પરિવારે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મહિલા અધિકારીના મોતને લઈ પરિવારમાં ભારે શોકનો માહોલ છે.
SIRની કામગીરીમાં BLO તરીકે નિમવવામાં આવ્યા હતા.પોલીસે હાલ કામનું ભારણ કારણે કે આકસ્મિક મોત છે તે અંગે તપાસ હાથ ધરી છે. આ સાથે જ ગુજરાતમાં મતદારયાદી સુધારણા કામગીરી દરમિયાન BLO તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનાં મોતનો આંકડો 5 પર પહોંચી ગયો છે. શિક્ષક સંગઠનો અને કર્મચારી સંગઠનોએ સરકાર અને ચૂંટણી પંચ સામે રોષ ઠાલવ્યો છે
આ પણ વાંચો:એવું તો શું થયું કે મશહૂર ક્રિકેટર પૂજારાના સાળાએ કર્યો આપઘાત ! કારણ કરી નાંખશે હેરાન…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો